મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવી અધતન સુવિધા સાથે બની રહેલા નવા ચેરિટી ભવનનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે અને રાજ્ય નાં કાયદા અને મહેસુલ મંત્રી ની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
આગામી દિવસોમાં મોરબી થી નજીક આવેલા સનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડ જેવી માતબર રકમના ખર્ચે અધતન સુવિધાઓથી સજ્જ નવું ચેરિટી ભવન તૈયાર કરવામાં આવશે કલેકટર જે.બી.પટેલ અધિક કલેકટર એન કે મુછારા અને મદદનીશ ચેરિટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચેરીટીતંત્ર વિશે સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી જિલ્લા સહિત ૮ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવન બનાવવા માટે વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...