મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ- મોરબી દ્વારા ૧૨ જૂનને રવિવારના રોજ સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે. અને તા.૧૨ જૂનના રોજ ૧૮મો સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં બે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ૨૨ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં હતા.
આ સમારોહમાં દીકરીઓને કરિયાવરમાં ૧૩૫ થી વધુ વસ્તુ અને બટુકોને ૩૦ થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હતી. આ સમારોહમાં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચારથી વિધિ સંપન્ન કરાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...