લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો

  મોરબી : પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપે તે માટે પક્ષીઓ ની ક્ષુધા અને તરસ છીપે એ ભાવનાથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ની પવિત્ર જગ્યામાં ૫૦૦ નંગ પાણી પીવાના કુંડા અને ૫૦૦ નંગ ચકલા ઘર નું વિતરણ કરવામાં આવ્યું

જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા.રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા.હરખજીભાઇ ટી સુવારિયા, લા.એ એસ સુરાણી, લા.મહાદેવભાઈ ચિખલિયા, લા.મહાદેવભાઈ ઊંટવાડિયા, લા.મણીલાલ કાવર, લા.પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારીશ્રી ઓ હાજર રહી સેવા પરમો ધર્મ અને સેવા એજ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.

આ પ્રોજેક્ટ સૌજન્ય દાતા લા. હરખજીભાઇ ટી સુવારિયા ટોબરિયા હનુમાનજી ગૌશાળા ના સંચાલક હતા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img