મોરબી : સમગ્ર ગુજરાતના વીસીઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને ગત 11 તારીખથી હડતાળ પર છે ત્યારે આગામી 25મી તારીખ સુધીમાં વીસીઈ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામુહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી વીસીઈ કર્મચારી મહામંડળના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં કામ કરતા 400 થી વધુ વીસીઈ કર્મચારીઓ સહીત રાજ્યભરના ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ માંગણીઓને પગલે આંદોલન ચલાવી રહ્યા છે છતાં તેમના પ્રશ્નોનો નિવેડો લાવવા સરકાર પ્રયત્નશીલ નથી ત્યારે આગામી તા. 25 સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો સામુહિક રાજીનામા આપવામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...