આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને એ અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ- કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરી શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો..
શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર (અંકુર સોસા.) સત્યેશ્વર, સોમનાથ, બાદ જનકલ્યાણેશ્વર, રામેશ્વર (મોરબી-2),
શંકર આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી.. તમામ મંદિરોના મહંતશ્રીઓ અથવા પૂજારીશ્રીઓને શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.
દર્શન-યાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ. બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન BAPS સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બે સગા ભાઈના ઘટનાસ્થળે કરુણ મોત.
મળતી માહિતી મુજબ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા કાર ચાલકે...
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો ટાળો
લૂ થી બચવા આટલું કરો:
રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન...
મોરબી: મોરબીમાં તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે.
જેમાં કથાના પ્રથમ દિવસે રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા, પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા, કબીર આશ્રમના મહંત...