સુરત જિલ્લા નાં સરસાણા ખાતે સરદાર ધામ (વિશ્વ પાટીદાર સમાજ) દ્વારા પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસ ને ગતિ આપવાનાં ઉમદા હેતુ સાથે મીશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બીઝનેસ સીમીટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર અને પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સનહાર્ટ ગ્રુપના જગદીશભાઈ પટેલને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
સુરત જિલ્લાના સરસાણા ખાતે સરદારધામ (વિશ્વ પાટીદાર સમાજ) દ્વારા મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું તા. 29, 30 એપ્રિલ તથા 1 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના સનહાર્ટ ગ્રુપની સિરામિક બાથવેરની પ્રોડક્ટ માટેનો સ્ટોલ છે.
ગત તા. 29ના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મોરબીના પાટીદાર સમાજના તથા ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી ગોવિંદભાઈ વરમોરાએ ઉપસ્થિત રહી રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ પણ મંચ ઉપર હાજર રહ્યા હતા.
સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – 2022 અંતર્ગત મોટા ઉદ્યોગની શ્રેણીમાં પ્રથમ સ્થાને મોરબી સ્થિત સનશાઈન ટાઈલ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ (સનહાર્ટ ગ્રુપ)ના જગદીશભાઈ પટેલને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમમાં મંચ ઉપર આ એવોર્ડ ગોવિંદભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ એ સ્વીકારી પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...