Wednesday, June 10, 2026

સ્વ: મનોજ ભાઇ સરડવા ની વાર્ષિક પુણ્યતિથિ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવશે

મોરબી સ્વ.મનોજભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે
સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન. અવની ચોકડી ખાતે કરવામાં આવ્યું છે.

જિંદગીની સુવાસને ચો-તરફ ફેલાવી પોતાના જીવન દ્વારા સગા વ્હાલા, મિત્ર મંડળ અને પોતાના સંપર્કમાં આવનાર તમામ લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર મનોજભાઈ સરડવાની વસમી વિદાયને તારીખ 6/04/2022 ના એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે એ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન વ્યકત કરવા તેમની યાદમાં શુભકાર્ય કરવાના સંકલ્પરુપે રક્તદાન કેમ્પનું તા. 06-04-22 ને બુધવારે સાંજે 4 થી 6, શિવ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરેલ છે. જેમા રક્તદાન રૂપી મહાદાન કરી આપી શ્રદ્ધાંજલિ અર્પવા કેશવજીભાઇ નરશીભાઈ સરડવા,વિજયભાઈ કેશવજીભાઇ સરડવા,અશ્વિન કેશવજીભાઇ સરડવા, અનિતાબેન મનોજભાઈ સરડવાસમગ્ર સરડવા પરિવારજનો દ્વારા અનુરોધ કરાયો છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img