મોરબી જિલ્લા ની સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા મોરબીમાં સામાજિક સંગઠનો સામજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા એક રચનાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં 5 દિવસથી શનાળા રોડ ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવી રહ્યા છે.
પ્રથમ દિવસે મોરબી જિલ્લાના આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા
બાદમાં આજે કોંગ્રેસ દ્વારા આજે ધરણા સ્થળ પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપી મોરબીને ફરી સરકારી મેડીકલ કોલેજ પરત કરે તેવી ભગવાન પાસે પાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસ મહામંત્રી મનોજ પનારા, રાજુભાઈ કાવર,મહેશભાઈ રાજ્યગુરુ, કે.ડી.પડસુમ્બિયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનોં અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સરકારદ્વારા આગાઉ જે ગ્રીન ફિલ્ડ સરકારી મેડીકલ કોલેજ આપે તેવી ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...