મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવી અધતન સુવિધા સાથે બની રહેલા નવા ચેરિટી ભવનનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે અને રાજ્ય નાં કાયદા અને મહેસુલ મંત્રી ની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
આગામી દિવસોમાં મોરબી થી નજીક આવેલા સનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડ જેવી માતબર રકમના ખર્ચે અધતન સુવિધાઓથી સજ્જ નવું ચેરિટી ભવન તૈયાર કરવામાં આવશે કલેકટર જે.બી.પટેલ અધિક કલેકટર એન કે મુછારા અને મદદનીશ ચેરિટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચેરીટીતંત્ર વિશે સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી જિલ્લા સહિત ૮ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવન બનાવવા માટે વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...