મોરબી : કોઈપણ અધિકારીઓની નિમણુંક પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે થતી હોય છે અને આમ જનતા પણ પોતાની સમસ્યાઓને લઈને અધિકારીઓને અનેક રજૂઆતો કરતી હોય છે ત્યારે અધિકારીઓ પણ પ્રજાના પ્રશ્નોની ગંભીરતા પારખી તેમાં અંગત રસ લઈને સમસ્યાનો હલ કરતા હોય છે. આવો જ એક બનાવ મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વાવડી રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા હતી જે અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે અંગત રસ લઈને પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો.
મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, વાટિકા સોસાયટી, સંત કબીરનગર સહિતની સોસાયટીઓમાં ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય હતી જેથી સ્થાનિકોએ નગરપાલિકા તેમજ કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તંત્રએ આ સોસાયટીઓના પાણી પ્રશ્નનો ટૂંકા સમયમાં હલ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનું હારતોરા કરીને સન્માન કરાયું હતું અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...