હળવદ પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી
હળવદના પીઆઇ કે.જે.માથુકિયાની તાત્કાલિક બદલી કરીને નવાં પીઆઇ તરીકે એમ વી પટેલ ને ચાર્જ સોંપવામાં આવ્યો
હળવદ પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરી મોરબી ખાતે લિવ રિઝર્વ માં મુકવા આવ્યા છે અને તેમની જગ્યાએ મોરબી ખાતે લિવ રિઝર્વ માં રહેલા પીઆઇ એમવી પટેલ ને હળવદનાં પીઆઈ તરીકે નો ચાર્જ સોંપવામાં આવ્યો છે
હળવદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતાં ક્રાઈમ રેટ માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો અને જાણે પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ ગતરાત્રે હળવદ નાં ઔધોગિક વિસ્તારને લૂંટારું ટોળકીએ ધમરોળી નાખ્યો હતો.
લૂંટારુ ટોળકીએ વેપારી ને માર મારીને આંતક મચાવતા વેપારીઓમાં પોલીસની નિષ્ક્રિયતા સામે પ્રચડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના પગલે તાબડતોબ હળવદના પીઆઇની બદલી કરીને મોરબી ખાતે લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે અને હળવદના નવા પી.આઈ. તરીકે એમ.વી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
હળવદ માળીયા રોડ ઉપર આવેલ ઇન્સ્ટ્રીઝ વિસ્તારમાં ગતરાત્રે લૂંટારું ટોળકી ત્રાટકી હતી. જેમાં ગંગોત્રી ઓઇલ મિલના માલિક તેમજ મજૂરોને માર મારી માલમતા લૂંટી ગયા હતા. આ રીતે લૂંટારું ટોળકીએ સાતથી વધુ કારખાનામાં લૂંટ ચલાવી હતી. આ બનાવને પગલે વેપારીઓમાં જબરો રોષ ફાટી નીકળ્યો હતો. વારંવાર લૂંટ અને ચોરીના બનાવોને લઈને વેપારીઓએ પોલીસની નિષ્ક્રિયતા સામે બંડ પોકાર્યું હતું. એક તબક્કે વેપારીઓએ હળવદ બંધનું પણ એલાન કરી દીધું હતું.
લૂંટના બનાવની પોલીસે છાનબીન શરૂ કરી છે અને ભોગ બનનારની ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે. જો કે ફરિયાદ નોંધાયા બાદ જ લૂંટનો સાચો આંક બહાર આવશે. પણ આ લૂંટની ઘટનાથી વેપારીઓ આક્રોશ ધગધગતો હોવાથી વેપારીઓનો રોષ શાંત પાડવા માટે હળવદના પીઆઇ કે.જે.માથુકિયાની તાત્કાલિક બદલી કરીને તેમના સ્થાને પીઆઇ એમ.વી.પટેલને હળવદના નવા પીઆઇ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
