હળવદ: મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 હળવદ ખાતે ધોરણ-8માં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની આર્યા રાજેશભાઈ ગાંભવાએ ગત વર્ષે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (GIET) અમદાવાદ દ્વારા રાજયકક્ષાના ઓનલાઈન ચિત્રકલા મહોત્સવનું આયોજન થયું હતું
જેમાં સમગ્ર રાજ્ય માંથી 16400 બાળકોએ ભાગીદારી નોંધાવી હતી જેમાં પ્રાથમિક વિભાગમાં આર્યા રાજેશભાઈ ગાંભવાએ સુંદર ચિત્ર દોરીને રજૂ કર્યું હતું જે ચિત્ર સમગ્ર રાજ્યમાં તૃતીય સ્થાને પસંદગી થતા 6 જૂન સોમવારના રોજ રવીન્દ્રનાથ ટાગોર હોલ,અમદાવાદ ખાતે વિજેતા બાળકોને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવામાં આવ્યા હતા આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ અને શાળા પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...