હળવદનાં દેવીપુર ગામે રહેતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને 6 ઈસમોએ ઘાતકી શાસ્ત્રો વડે આડેધ અને તેની સાથે રહેલા 2 લોકો પર હુમલો કર્યો હતો. જેને પગલે હળવદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા પરષોતમભાઈ નાનજીભાઈ તારબુંદીયા દલવાડી (45)એ અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયા પરમાર રહે. રવાપર રોડ બજરંગ સોસાયટી મોરબી, ભગવાનભાઈ ઉકાભાઈ ધારીયા પરમાર રહે. ટીકર રણ, બળદેવભાઈ ત્રીભોવનભાઈ રહે. રવાપર રોડ મોરબી હસમુખભાઈ અંબારામભાઈ રહે. દેવીપુર અને પ્રદિપભાઈ ભગવાનભાઈ ઘારીયા પરમાર રહે. ટીકર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકાના દિકરા નારાયણભાઈ દેવજીભાઈ તારબુંદિયા રહે. દેવીપુરએ આરોપી હસમુખભાઈ અંબારામભાઈ ધારીયા રહે.દેવીપુર વાળા વિરૂધ્ધમાં લેન્ડ ગ્રેબીંગનો કેસ કરેલ છે
જેનો ખાર રાખીને તા.૦૭/૦૬/૨૦૨૨ ના સવારે ક.૦૮/૩૦ વાગ્યાના અરસામા દેવીપુર ગામની સીમમા નારાયણભાઈ દેવશીભાઈની ઓર નામની વાડીએ પ્રાણઘાતક હુમલો કર્યો હતો. જ્યાં આરોપીઓએ ધારીયુ લઈને પરષોતમભાઈની ડાબી આંખ ઉપર મારતા ઈજા કરેલ હતી તેમજ ધારિયાથી પરષોતમભાઈને ડાબા હાથમા કોણી ઉપર માર માર્યો હતો અને આરોપીઓએ લોખંડના પાઈપ, ધોકા વડે પરષોતમભાઈ અને તેની સાથે રહેલા ચંદુભાઈ અને અમૃતભાઈને પણ માર મારી ઘાયલ કર્યા હતા. અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મુદ્દે હળવદ પોલીસે ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૨૪,૩૨૫,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૧૧૪તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...