માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા લોકમાંગ ઉઠી રહી છે. માળીયા પોલીસની હદમાં આવતા ખાખરેચી ગામમાં બુટલેગરો બેફામ બની છાશવારે ગામમાં ધમાલ કરતા હોવાની રાવ ઉઠી છે. સાંજ પડે ને દેશી કોથરીયા પોતાના લખણ ઝળકાવતા હોવાથી બહેનો દિકરીઓને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે જેમા દેશી પીને દારૂડીયો પુષ્પાના વહેમમાં સાલા ઝુકેગા નઈ જેવો તાલ સર્જી ગામ ગાંડુ કરતા હોવાની રાવ ઉઠી છે.
જેથી સ્થાનીક લોકો દ્વારા વારંવાર રજુઆત કરી હોવા છતા પોલીસની મીઠીનજર તળે દારૂડીયા બેકાબુ બની પોતાની મોજમાં મશગુલ થઈને આમ જનતાને પરેશાન કરતો હોવાની રાવ ઉઠી છે વધુમાં દેશી દારૂડીયા ગામને પોતાના પિતાજીનો બગીચો સમજી બેફામ બિભત્સ ગાળો બોલી ધમાલ કરી દાદાગીરી પર ઉતરી આવી લોકોને હેરાન પરેશાન કરતા હોય જેથી વહેલી તકે આવા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવી બુટલેગરોને શાનમાં સમજાવી હવામાં ઉડતા તત્વો પર લાલઆંખ કરવા માંગ ઉઠી છે જો આગામી દિવસોમાં બેલગામ રહેલા દારૂડીયા અને ધમધમતા દેશીદારૂના હાટડા બંધ નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનુ પણ જાણવા મળ્યું છે.
વધુમાં દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરો ઉપર પોલીસ પકડ ન રહેતી હોય તેવા બુટલેગરો સામે પાસાનુ શસ્ત્ર ઉગામવા પણ લોકમાંગ ઉઠી રહી છે. અન્યથા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કડક અધિકારી દ્વારા જાહેર કરેલ નંબર ઉપર પણ આ બાબતે જાણ કરવા પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે જેથી આગામી સમયમાં ખાખરેચી ગામમાં ફાટીને ધુમાડે ગયેલા દેશી દારૂડીયા અને બેલગામ બનેલા બુટલેગરોને કાયદાનું ભાન નહી કરાવવામાં આવે અને ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ તવાઈ નહી બોલાવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાના સંકેત જોવા મળી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...