ગઇ કાલે તારીખ 09-08-22 ના રોજ પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરી ના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા દ્વારા પોતાની ગ્રાન્ટ માં થી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા અદ્યતન એમ્બ્યુલન્સ આપવા મા આવી હતી.લલિત ભાઈ એ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકો ને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને સર્વ ગ્રામજનોએ લલીત ભાઈ કગથરા તથા ડોક્ટર ડાયાભાઈ પીપળીયા ને સન્માનિત કરવા માં આવ્યા હતા અને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયા એ ધારાસભ્ય લલીતભાઇ કગથરાની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતી ભાઈ જે પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભા ભાઈ,અવચર ભાઈ, ભરત ભાઈ તળપદા, હેમુભા બાપુ, ગીરુભા જાડેજા, વસંત ભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજ ભાઈ વૈષ્ણવ,ઇલા બેન કગથરા, નયન ભાઈ અઘારા, કે ડી પડસુંબિયા, હિરેન ભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા/ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. અશ્વિન ભાઈ ગઢીયા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...