મોરબી: ગુજરાતીઓનો મનપંસદ તહેવાર એટલે નવરાત્રિ, અને ગરબે ધુમતા ખેલૈયાઓ દર વખતે નવા નવા સ્ટેપ સાથે ગરબા રમી નવરાત્રિનો આનંદ માણતા હોય છે. ત્યારે મોરબીમાં પણ ખેલૈયા માટે સુરત નવસારીનાં દોઢીયા અને મોરબીના ટ્રેડીશનલ ગરબા શીખવા માટે 5 જુલાઈથી અભય ગરબા ક્લાસનો શુભારંભ થવા જય રહ્યો છે.
જેમાં મૂળ મોરબીના અને હાલ સુરતની ગરબા ક્વીન પૂજા ગોંડલીયા પોતાના મોરબી શહેરના ગરબા પ્રેમીઓ માટે સ્પેશિયલ એક મહીના સુધીનો સમય કાઢીને મોરબીના ગરબાપ્રેમી લોકોને સુરત-નવસારીના પ્રખ્યાત દોઢીયા અને મોરબીના ટ્રેડીશનલ ગરબા શીખવાડવા માટે આગામી 5 જુલાઈના રોજ મોરબી આવી રહી છે. અને મોરબીના ગરબા પ્રેમીઓ માટે અભય ગરબા ક્લાસ શરૂ કરવામાં આવશે. ગરબાપ્રેમીઓને ગરબાનો ટાઈમ મો.94090 16121 પર બુક કરવાનો રહેશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...