માળીયામિંયાણાના છેવાડાના રણકાંઠે આવેલા મંદરકી ગામને ૧૦ દિવસથી પીવાનુ પાણી ન મળતા દેકારો બોલી ગયો છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી પાણી માટે વલખા મારતા ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ દિવસે પધારેલા માળીયા મામલતદારને અરજી આપી આ બાબતે વાકેફ કર્યા હતા. મંદરકી ગામ ૩૦૦ની વસ્તી સામે ૮૦૦ પશુ ધરાવતા ગામને દરરોજ ૧૦ હજાર લીટર પાણીની જરૂરિયાત સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીનુ ટીપુ ન મળતા દેકારો બોલી ગયો છે અને મંદરકી ગામના લોકોને એક બેડુ પાણી માટે ફાફા મારવા પડી રહ્યા છે જે ગામના લોકો અઠવાડીયાથી પીવાના પાણીથી વંચિત છે. જેથી એજન્સી મારફતે ટેન્કર દ્વારા પુરૂ પાડવામાં આવતુ પાણી છેલ્લા એક અઠવાડિયાથી ટેન્કર ન આવતા ગ્રામજનોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે અને સરપંચ દ્વારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીને અરજી કરી એજન્સી દ્વારા ચલાવાતી લાલીયાવાડી બંધ કરી રેગ્યુલર પાણી આપવાની માંગ કરી છે.
મંદરકી ગામ રણકાંઠાના છેવાડાનુ એકલ દોકલ ગામ હોવાથી આસપાસ અન્ય કોઈ પાણીનો સ્ત્રોત ન હોય કેનાલ પણ બંધ હોવાથી ઉનાળો આખો પાણીનો પોકાર કરતા ગ્રામજનોને ટેન્કર ઉપર નિર્ભર રહી દિવસો પસાર કરે છે જે ગતિશીલ ગુજરાતના વિકાસશીલ રાજ્ય માટે શરમજનક બાબત છે તેમજ મતોનું રાજકારણ કરતા નેતાઓ પાણીની વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને પાણીનુ નથી પુછતા તેવા નેતાઓ સામે પણ રોષ ભભૂકી રહ્યો છે.
મંદરકી ગામ રણકાંઠાના છેવાડા વિસ્તારમાં આવેલ ગામ હોય રણનો વેરાન વિસ્તાર નજીક હોય તાપમાનનો પારો ઉંચકવાથી અહીના લોકોને પાણીની માંગ વધુ હોય તેવામાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની તિવ્ર અછત ઉભી થતા નાના એવા ગામમાં દેકારો બોલી ગયો છે અને પાણીનો પોકાર કરતા ગ્રામજનો એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે તેમજ પશુ તો જાણે વેરાન વગડામાં રહેતા હોય તેમ અવેડા ખાલીખમ હોવાથી બુંદ બુંદ પાણી માટે તરસ્યા દિવસો ગુજારી રહ્યા છે. જે તંત્ર માટે શરમજનક બાબત છે જેથી વહેલી તકે પાણીનો પ્રશ્ન હલ કરવા ગ્રામજનોની માંગ સાથે જવાબદાર અધિકારીઓ જાગે તે જરૂરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...