મોરબી જિલ્લા પોલીસ મિલકત બાબતના ગુન્હા અટકાવવા માટે કાર્ય કરી રહી હોય ત્યારે એલસીબીની ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હોય કે અમુક ઇસમો દ્વારા અનધિકૃત રીતે કન્ટેનર બહારથી લાવી, તેને કાપી ને ભંગાર બનાવી વેચી રહ્યા છે. ત્યારે આ બાબતની તપાસ કરી પોલીસ દ્વારા ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી એલસીબી ને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળી હોય કે મોરબી – અમરેલી રોડ પાસે આવેલ મહાકાળી મંદિર ની દેરી પાસે બાવળની કાંટ માં તેમજ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે કન્ટેનર લાવી તેનું કટિંગ કરીને તેનો ભંગાર કરીને વેચવાની પેરવી કરતા હોવાની બાતમી મળી હતી ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
એલસીબીની ટીમ ને બાતમી મળતા બાતમી વાળી જગ્યા પર રેઇડ કરતા ત્યાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે લઈ આવેલ કન્ટેનર તેમજ ભંગાર સાથે મળી આવેલ હતા. ત્યારે પોલીસ દ્વારા ૧) રવી પંસારા ૨) નકુલ મંદરિયા ૩) મહેન્દ્ર સોલંકી ૪) ફિરોજ મમાણી ની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત કેનકોર કંપનીના ૪ કન્ટેનર , કટિંગ ભંગાર , ગેસના નાના મોટા સિલિન્ડર , ગેસ કટરગન, તેમજ ૩ મોબાઈલ સહિત કી.રૂ.૧૩,૮૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...