ગઈકાલે જીતુ સોમાણી દ્વારા યોજાયેલ સંમેલન માંથી પાછા આવતા સમયે લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક રીતે દુઃખદ અવસાન થતાં ૩ જુલાઈના રોજ આયોજિત રઘુવંશી સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું
જીતુભાઈ સોમાણી ની આગેવાનીમાં મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના મહાસંમેલન આગામી ૩ જુલાઈના રોજ યોજવાનો હોય પરંતુ ગઈકાલે રાત્રે લોહાણા સમાજના ઉધોગપતિનું દુઃખદ અવસાન થતાં આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. ત્યારે સમગ્ર લોહાણા સમાજે સોક વ્યક્ત કર્યો છે. આગામી સમયમાં રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગ
મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે....