મોરબીના વિસિપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે બે ઇસમો જાહેરમાં મારામારી કરતા હોય, ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
બનાવ ની મળતી વિગતો અનુસાર મોરબી ના વીસિપરા વિસ્તાર માં ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે લાઇટની નીચે બે ઇસમો જાહેરમાં છૂટા હાથની મારામારી કરતા હોય, ત્યારે લોકોને ખલેલ પહોંચે તેમજ શાંતિ ભંગ થઈ તેવું વર્તન કરતા હોય ત્યારે પોલીસ દ્વારા (૧) અહેમદહુસેન ભટ્ટી અને (૨) વિજયભાઈ ઉર્ફે જેન્તી ઇન્દરિયા નામના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...