ગઈકાલે રાજસ્થાન ના ઉદયપુર માં જેહાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક આતંકવાદીઓ એ નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલ ની સરાજાહેર તેમની જ દુકાન માં નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારે દેશભર માં તે ઘટના પડઘા પડ્યા છે
ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા સાંજે ૫:૦૦ કલાકે ઇસ્લામિક આતંકવાદ ના પૂતળાં નું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને “ઇસ્લામિક આતંકવાદ હાય હાય” અને ” જય શ્રી રામ ” , ભારત માતા કી જય , વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં બજરંગદળ ના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આ ઘટના ને સખત શબ્દો માં વખોડી નાખી અને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસ ના જવાનો એ કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...