રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટે પોશ વિસ્તારમાં જમીન માટે હુકમ કરાયો
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા રબારી સમાજે મંત્રીનું પુષ્પગૃચ્છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દરેક સમાજના પ્રશ્નોને પોતાના જ પ્રશ્નો સમજીને નિવારવા હમેશાં પ્રયત્નશીલ છે ત્યારે હાલ જ તેમણે માનવતાવાદી અભિગમ દાખવી રબારી સમાજની લગભગ ૩ પેઢી જૂની માંગણીને પૂર્ણ કરી છે.
રબારી સમાજની છેલ્લા ઘણા સમયથી રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટેની માંગણી હતી. જેને મંત્રીએ રબારી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાને સાથે રાખી મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ૩૦ જ દિવસમાં આ માંગણીને ધ્યાને લઈ તેને મંજૂરી આપવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ દ્વારા પોશ વિસ્તારમાં આ રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવનની જમીન માટે પણ હુકમ કરી દેવામાં આવ્યો છે.
રબારી સમાજની આ વર્ષો જૂની લાગણીને વાચા આપી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ અટપટા પ્રશ્નને ઝડપી નિવારવા સતત ફોલોઅપ કર્યું અને તેમની માંગણી પુરી કરી. જેથી રબારી સમાજના આગેવાનોએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા અને રબારી સમાજના અગ્રણી વાલાભાઈ ખાંભલા, કાનજીભાઈ કુંભારીયા, રમેશભાઈ અજાણા, ભગવાનજીભાઈ ખાંભલા, મહેશભાઈ અજાણા, હિરેનભાઈ કાળોતરા, કારાભાઈ હુણ, સવજીભાઈ હુણ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...