વિનામૂલ્યે આવા સ્ટોલ અવિતર મળવાથી અમારા સખી મંડળ અને મહિલાઓનો વિકાસ થાય છે.મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથની ૨૦ બહેનો દોરા અને ખિલીઓથી વોલ પિસ બનાવી રોજગારી મેળવે છે
ગીર સોમનાથનું મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથ કે, જે ધાગાઓના તાંતણે તાંતણે ખીલીઓ જોડી નિર્જીવ ચિત્ર કે છબી જાણે ચેતનવંતું બનાવે છે !
ખિલી અને દોરાથી વોલ પીસ બનાવી સ્વરોજગારી મેળવતા ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવડ ગામના મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથના મકવાણા સોનલબેન મોરબી ખાતેના સખી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ મળતા જણાવે છે કે, અમારા આ સખી મંડળ હેઠળ ૨૦ બહેનો રોજગારી મેળવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અવિરત પણે આવા સ્ટોલનું આયોજન થતુ રહે છે. વિના મૂલ્યે આ સ્ટોલ મળતા હોવાથી અમારા સખી મંડળનો વિકાસ થાય છે અને સાથે સાથે અમારી બહેનોને પણ વિકાસ થાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...