મોરબી:નવલખી રોડ થી ગોર ખીજડીયા દેરાળા – નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવે ને જોડતો રસ્તો બિસ્માર હાલત માં છે.
આ રોડ વચ્ચે ના ગામો ને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટે ગામો ને જોડતો ખુબજ અગત્ય નો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલત માં છે.
સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાસવારે ન્યુઝ માં જુદા જુદા રસ્તા ઓ મંજુર કરવા ના ભ્રામક સમાચારો વાંચવા મળતા હોય છે જો મોરબી દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા , બગસરા, જાજાસર માળિયા રોડ ને ૧૦૦ કરોડ કરતા વધારે ના ખર્ચે મંજુર કરાવતા હોય તો આ રોડ માં તો એટલો ખર્ચ પણ નથી અને ઘણા લોકોને ઉપયોગી આ રોડ છે. તો તેને શા માટે ? મંજુર કરાવી ને કામ કરાવતા નથી તેવું લોકો કહી રહ્યા છે.
આ વિસ્તાર ના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવું પડે તે પહેલા આ રસ્તો રીપેર કરવા યોગ્ય કરવા માં આવે તેવી લેખીતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન નાં જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત કરી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...