આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય જેના આમંત્રણ કાર્ડમાં ધારાસભ્યો, સાંસદ સભ્ય, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી, તેમજ સ્થાનિક સ્વરાજ્યના હોદેદારો ઉપરાંત પૂર્વ હોદેદારોના નામ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ મોરબીના પૂર્વ ધારાસભ્ય નું નામ બાકાત કરવામાં આવ્યું છે.
ત્યારે ફરી એક વખત નિમંત્રણ પત્રિકામાંથી પૂર્વ ધારાસભ્યનું નામ બાકાત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આમંત્રણ પત્રકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખોના નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. પરંતુ પૂર્વ ધારાસભ્યનું નામ છે જ નહિ ! ત્યારે આ નીમંત્રણ પત્રકમાં પૂર્વ ધારાસભ્યનું નામ કેમ નહિ ? અગાવ પણ ઘણા કાર્યક્રમોમાં નામ સામેલ કરવામાં આવ્યું ન હતું પણ તે વિવાદને ટાળવા પાછળથી નવસર નિમંત્રણ પત્રિકા બારપાળી નામ ઉમેરવામાં આવ્યું હતું શું આ વખતે પણ એવું થશે ? શું જાણી જોઈને નામ કમી કરવામાં આવતું હશે ! તે પણ એક સવાલ છે .
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...