આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય જેના આમંત્રણ કાર્ડમાં ધારાસભ્યો, સાંસદ સભ્ય, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી, તેમજ સ્થાનિક સ્વરાજ્યના હોદેદારો ઉપરાંત પૂર્વ હોદેદારોના નામ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ મોરબીના પૂર્વ ધારાસભ્ય નું નામ બાકાત કરવામાં આવ્યું છે.
ત્યારે ફરી એક વખત નિમંત્રણ પત્રિકામાંથી પૂર્વ ધારાસભ્યનું નામ બાકાત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આમંત્રણ પત્રકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખોના નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. પરંતુ પૂર્વ ધારાસભ્યનું નામ છે જ નહિ ! ત્યારે આ નીમંત્રણ પત્રકમાં પૂર્વ ધારાસભ્યનું નામ કેમ નહિ ? અગાવ પણ ઘણા કાર્યક્રમોમાં નામ સામેલ કરવામાં આવ્યું ન હતું પણ તે વિવાદને ટાળવા પાછળથી નવસર નિમંત્રણ પત્રિકા બારપાળી નામ ઉમેરવામાં આવ્યું હતું શું આ વખતે પણ એવું થશે ? શું જાણી જોઈને નામ કમી કરવામાં આવતું હશે ! તે પણ એક સવાલ છે .
પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હરિનામના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાએ અનેક સ્થળોએ હરિનામ મંત્રની અલખ જગાવી હજારો લોકોને હરિનામનો માર્ગ દર્શાવ્યો હતો. “કોઈ રીતે હરિનામ લ્યો અને કોઈ...
મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમા પીતાને ઘેર રહેતી પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર -૦૧ માં માવતરે રહેતા ઉર્વશીબેન સુનિલભાઈ શેવાકાએ (ઉ.વ.૩૦) એ...
મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ પર ગાળા ગામના પાટીયા પાસે રીઓ સિરામિક કારખાના સામે રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક સવારનું મોત નિપજ્યું હતું જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના બાલંભા ગામે રહેતા વિરજીભાઈ નરશીભાઈ રાઠોડ (ઉ.વ૪૫ ) એ આરોપી ટ્રક...