વંદે ગુજરાત પ્રદર્શન સાથે મોરબી ખાતે સાત દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સખી મંડળની મહિલાઓએ નિ:શુલ્ક સ્ટોલ મેળવી સારી એવી કમાણી કરી છે.
આ સખી મેળામાં ટંકારાના શક્તિ સખી મંડળના સોનલબેન સગરનો પણ સ્ટોલ હતો. જ્યાં તેમણે સાડી, મહિલાના પગરખા, અન્ય શૃંગાર તેમજ પરિધાન સામગ્રીનું સાત દિવસ દરમિયાન વેચાણ કરી સ્વરોજગારી મેળવી છે.
સખી મેળા વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, અમારા શક્તિ સખી મંડળમાં ૧૦૦ જેટલી બહેનો જોડાયેલી છે. સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો ફાયદો થયો છે. અમારા મંડળને ૫ લાખની વગર વ્યાજની લોન પણ મળી છે. ઉપરાંત આવા નિ:શુલ્ક સ્ટોલ આટલી સારી વ્યવસ્થા સાથે મળી રહે છે. સાથે સાથે લોકોની સારી એવી ભીડ મળવાથી અમારું વેચાણ પણ ખૂબ સારું થયું છે. એક રીતે કહું તો આ સખી મેળો અમારા જેવી મહિલાઓ અને સખી મંડળો માટે આશીર્વાદરૂપ છે તેવું તેવો ગર્વથી જણાવે છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...