સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાલક્ષી અને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓના હિતાર્થે અનેકવિધ કાર્યક્રમો યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે એ અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તેંત્રીસ જિલ્લામાં એકી સાથે વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં રાજ્યકક્ષાએથી ખુબજ પારદર્શક રીતે મેરીટ લિસ્ટ તૈયાર કરી જિલ્લામાં આપેલ હતું એ મુજબ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરી ફિકેશન કરી ખુબજ પારદર્શક રીતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબીની વી.સી.હાઈસ્કૂલ ખાતે ધો.1 થી 5 માટે 57 જગ્યાઓ મુંજર કરવામાં આવેલ જે પૈકી બે ઉમેદવાર ગેરહાજર રહેતા 55 પંચાવન જગ્યાઓ ભરાઈ હતી અને ધો 6 થી 8 ની 58 જગ્યાઓ પૈકી ભાષાની 16 સોળ જગ્યા ભરાઈ ગયેલ છે,ગણિત વિજ્ઞાનની 20 જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાનની 22 જગ્યાઓ ભરાઈ ગયેલ આમ કુલ 113 શિક્ષકો મોરબી જિલ્લામાં નવ નિયુક્ત થયા છે, કેમ્પમાં બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકાર દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ,જીગ્નેશભાઈ કૈલા ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી,તેમજ પ્રવિણભાઇ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી,નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી,ભરતભાઈ વિડજા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી,પ્રજ્ઞાબેન રાદડિયા સિનિયર લેક્ચરર ડાયટ-રાજકોટ તેમજ શિક્ષકોના તમામ સંગઠનોના હોદેદારોની હાજરીમાં વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો,આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકારે ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શિક્ષકોને ફરજના હુકમ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રાએ પણ તમામ વિદ્યા સહાયકોને શાળામાં હાજર થઈ બાળદેવોના જ્ઞાન અને કૌશલ્યના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની શુભેચ્છા આપી હતી. કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ ગરચર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ની. શિક્ષણ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના કર્મઠ કર્મચારીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...