મોરબી એલસીબી પર ટંકારા નજીક આરોપીઓ એ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન આમ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાના આરોપીઓ ટંકારા નજીક આવેલ હોટલ પર આવ્યા હોઈ તેવી બાતમી એલસીબીને મળી હોઈ ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી.
ત્યારે એલસીબી દ્વારા બાતમીના આધારે ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં આરોપી (૧) નવઘણ મોહનભાઈ બાંભવા અને (૨) મચ્છલાભાઇ ઉર્ફે લાલો પરબતભાઇ વરું બંને મળી આવ્યા હતા પરંતુ પોલીસની ટીમ ત્યાં આરોપીઓની અટકાયત કરવા પહોંચી ત્યારે આરોપીઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ધક્કામુક્કી કરવામાં આવી હતી. બાદ નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન પર લાકડી વડે માથાના ભાગે ડાબી બાજું હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસ દ્વારા ભોગ બનનાર પોલીસ વિપુલભાઇ બાલાસરા એ ટંકારા પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ટંકારા પોલીસ દ્વારા ફરિયાદ મુજબ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...