અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે
આગામી પહેલી ઓગસ્ટના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓમાં ગુજરાતની 25000 હજાર શાળાઓમાં અને મોરબીની 585 શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ થવાનો હોય એના પ્રચાર પ્રસાર અને સમજ માટે તેમજ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નોની જાત માહિતી મેળવવા અને સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘની મહિલા ટીમ નવા કણકોટ-2,ખખાણા,પીપરડી,જૂના કણકોટ, અગાભી પીપળીયા અને કોટડા નાયાણી વગેરે ગામોની મુલાકાત લઈને બહેનોને મળીને સંગઠનની કાર્યપ્રણાલીથી વાકેફ કરીને સદસ્યતા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરેલ, પ્રવાસમાં લાભુબેન કરાવદરા મહિલા ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર સંભાગના સહ સંગઠન મંત્રી,મહિલા મંત્રી ક્રિષ્નાબેન કાસુન્દ્રા તથા સ્વાતિબેન રાવલ જોડાયા હતા,અત્રે યાદ રહે કે આ બધી જ માતૃશક્તિ શાળામાં રજા મૂકી,ટાઈમ,ટિફિન અને ટીકીટ લઈ સ્વખર્ચે શાળાઓનો પ્રવાસ કરેલ હોય યજમાન શાળાઓના શિક્ષક બધું-ભગીનીઓમાં પણ ખુબજ ઉત્સાહ જોવા મળ્યો
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજરોજ સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો...
મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ "હર્ષોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઑગસ્ટ,...