રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાહન ચોરી સહિતના કિસ્સાઓમાં ભોગ બનનાર ઓનલાઇન પોર્ટલ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇ – ફરિયાદ નોંધવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.ત્યારે મોરબીમાં પોલીસ દ્વારા આ અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરીને મોરબીની કોલેજમાં ઇ-એફ.આઈ.આરનો અવરનેશ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓ ઇ-એફ.આઈ.આરની આખી પ્રક્રિયા વિગતવાર સમજાવી હતી. અને વિદ્યાર્થીઓને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા એલ ઇ કોલેજમાં આજે ઇ-એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ વિશે માહિતી આપવાના કાર્યક્રમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી બંસલ, પીઆઇ દેકાવાડિયા સહિતના પોલીસ સ્ટાફે કોલેજના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફગણને એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં પણ એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ વિશે અવરનેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીવાયએસપી પઠાણ તેમજ મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ પંડ્યા તેમજ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી પઠાણે વિધાર્થીઓને એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ એપ પહેલા ડાઉનલોડ કરી ગુમ કે ચોરી થયેલા વાહન અને મોબાઈલની કેવી રીતે ઓનલાઈન ફરિયાદ કરી શકાય તેની માહિતી આપી હતી.
ત્યારે હજુ પણ નાગરિકો આ અંગે જાગૃત થાય અને લોકો સિટીઝન પોર્ટલ તેમજ ઇ- એફ.આઇ.આર નું મહત્વ સમજે તેવા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...