મોરબી: મોરબીના ખોડા પીપર ગામથી પડાણા રોડ ઉપર અડધો કિલોમીટર આગળ ટ્રેક્ટરરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. તેમજ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના બીલઝર અજનારીયા ફળીયાના રહેવાસી અને હાલ મોરબીના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં ધનજીભાઇ સવજીભાઈ પનારાની વાડીએ રહેતા અભેસિંહ નવલસિંહ મેડા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-24-K-9084 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાનું ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર- GJ-24-K-9084 વાળું પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી ફરીયાદીના સાઢુના દીકરા દીનેશભાઇ જોરસીંગ મેડા ઉવ-૨૨ વાળાને તેઓના હીરો હોન્ડા ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર- GJ-23-S-1341 વાળા સહીત હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી શરીરે મોઢા,દાઢીના તથા ગળાની જમણી બાજુ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી ટ્રેક્ટર રેઢુ મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના માસાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC- કલમ-૩૦૪ -અ,૨૭૯, MV ACT કલમ- ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...