મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ હોય જે આરોપીને મોરબી પેરોલ ફ્લો સ્કવોડ,અને મોરબી એલસીબીએ ઝડપી પાડેલ છે.
પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીનાઓ સાથે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા/જેલ ફરારી આરોપીને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ-૩૦૨ મુજબના ગુનાના કામના આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા જાતે રજપુત ઉવ. ૨૮ રહે. મોરબી વિધ્યુતનગર દસ ઓરડીમાં તાજી.મોરબી વાળાને નામદાર સેસન્સ કોર્ટ, મોરબીનાઓએ તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ આજીવન કેદની સજા કરેલ હોય જે આરોપી પાકા કામના કેદી નં- ૪૭૩૨૮ તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય જે પાકા કામના કેદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે દિન-૧૦ ના વચગાળાના જામીન મેળવી મુકત થયેલ જે આરોપીને તા. ૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી વિધ્યુતનગર ખાતે તેના રહેણાંક મકાન ખાતે આવેલ હોવાની હકિકત આધારે તેના રહેણાંક મકાન ખાતેથી પકડી પાડી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલવા તજવીજ કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...