મોરબી: હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પર પંતજલી સ્કુલની સામે રોડ ઉપર બેકરીના ધંધા બાબતે લેવાના બાકી નીકળતા રૂપિયાની માંગણી કરતા બે શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં નરશીપરા કોલેજ રોડ પર રહેતા દિપકભાઈ ઘનશ્યામભાઇ દલવાડી (ઉ.વ.૨૭) એ આરોપી દયારામભાઈ જશરાજભાઈ કણઝરીયા તથા ઘનશ્યામભાઇ જશરાજભાઈ કણઝરીયા રહે બંને નવા વેગડવાવ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ બેકરીના ધંધા બાબતે લેવાના બાકી નીકળતા પૈસાની માંગણી આરોપી દયારામભાઇ પાસે કરતા ઉશ્કેરાઇ જઇને આ કામના આરોપી ઘનશ્યામભાઇ પોતાના હાથમાં એક લોખંડના પાઇપ જેવું હથીયાર લઇ આવી ફરીયાદીને માથામાં પાછળના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી અને આ આરોપી દયારામભાઇએ ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર મારી શરીરે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે દિપકભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...