મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર સમાજ નો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ન હોય આ વર્ષે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, ઉમા મેડિકલ- મોરબી, તથા ઉમા સંસ્કારધામ (સમાજવાડી) લજાઈના ઉપક્રમે મોરબીમાં વસતા તમામ કડવા પાટીદારોનું સ્નેહમિલન 25 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાશે. જેમાં કુળદેવી મા ઉમિયાની સમૂહ આરતી કરી સૌ નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવશે. ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા કડવા પાટીદારોને આમંત્રણ પાઠવાયું છે. સ્નેહમિલન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....