મોરબીના શનાળા ગામે પાણીના ખાડામાં ડૂબી જતા પ્રૌઢનું મોત

મોરબી: મોરબીનાં શનાળા ગામે રામજી મંદિરની બાજુમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જતા પ્રૌઢનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામે રહેતા રામસુરભાઈ બીજલભાઈ વાંક ઉ.વ.૫૫ વાળા ગત તા.૨૪-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે શનાળા ગામ રામજી મંદિરની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img