ખીજ જેની ખટકે નહિ રૂદીયે કાયમ રીજ, એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ..
મોરબી: ૨૫મી ડિસેમ્બરે આઈ સોનલમાંનો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. તેમજ આજનો દિવસ એટલે ચારણ ગઢવી માટે નવું વર્ષ. આ દિવસે વિવિધ સામાજિક- સાંસ્કૃતિક આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને દેશમાં વસતા ચારણ-ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે મોરબીમાં ગઢવી ચારણ સમાજ દ્વારા સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સોનલ બીજ એટલે ચારણ ગઢવી સમાજનું નુતન વર્ષ પણ ગણાય છે.
શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્ત બનોનો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈશ્રી સોનલમાંનો ૨૫મી ડિસેમ્બર રવીવાર ના રોજ આજે જન્મોત્સવ છે. ત્યારે ચારણ-ગઢવી સમાજ દર વર્ષે પોષ સુદ બીજને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ રવિવાર ના રોજ આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં વસતા ચારણ ગઢવી સમાજ લોકો દ્વારા પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે મોરબી ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...