મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા તા. 08-01-23 ને રવિવારના રોજ કે.જી તથા ધોરણ-1 થી 9 અને 11 ના વાલીઓની મિટિંગ સેમિનાર યોજાઇ ગયો. બે સેશનમાં યોજાયેલ આ વાલીઓની મિટિંગમાં આશરે 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહયાં હતા. સાંપ્રત સમયના શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઇ રીતે ઉજજવળ બનાવી શકાય તેની અવનવી વાતો વકતાઓ ડો.દીપકભાઇ રાજયગુરૂ અને મોટીવેશન સ્પીકર પ્રતિકભાઇ કાછડીયા દ્વારા પોતાના વકતવ્યમાં આજના શિક્ષણની વાતો કરી સહિયારા પ્રયાસથી સંતાનોના ભવિષ્યને શિક્ષણ દ્વારા કઇ રીતે ઉચ્ચશીખરો સુધી પહોંચાડી શકાય તે વાત અનેરી રીતે રજૂ કરી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી.કાંજીયા અને બળદેવભાઇ સરસાવાડિયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.
સેમિનારના અંતે અલ્પહારનું પણ આયોજન હતું. આ સમગ્ર વાલી મિટિંગ સેમિનારને નવયુગ સુપ્રિમો પી.ડી. કાંજીયાના માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના તમામ સ્ટાફે સફળ બનાવ્યો હતો.
મોરબી – હળવદ હાઇવે અદાણી સી.એન.જી. પંપ પાસે આવેલ દ્રારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા રહે. આંદરણા તા.જી.મોરબી વાળો ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ, અદાણી સી.એન.જી પંપ પાસે આવેલ પોતાના કબ્જા...
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબીમાં સાયબર ફ્રોડ કરી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી સંજયભાઇ ખેંગારભાઇ...