મોરબી: મકરસંક્રાંતિ સમગ્ર દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. ત્યારે મકરસંક્રાંતિના આ પર્વે મોરબીની સેવા કાર્યોથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આજે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારો જેમ કે, અગ્નેસ્વર મહાદેવ મંદિર, મયુર પુલ પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં, ધક્કાવાળી મેલડીમાંના મંદિર અને સામાકાઠે સરકીટ હાઉટ પાસે વસવાટ કરતા ગરીબ પરિવારોને ગરબા ગરમ પુલાવ ખવડાવી આનંદ અનુભવ્યો હતો. અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીમાં અનેક સેવાકાર્યમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉતરાયણના પર્વની આ વખતે સાચી ઉજવણી કરીને દીપાવી હતી.
