Wednesday, March 25, 2026

માળીયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજીભાઇ બાવળીયા અને કાંતિભાઈ અમૃતિયા નો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા: માળીયાના લક્ષ્મીવાસ ગામે ગુજરાત સરકાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને મોરબી માળિયા ૬૫ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો.

આજે તા.૧૫-૦૧-૨૦૨૩ ને રવીવારના રોજ સવારે ૯:૦૦ કલાકે માળિયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજી બાવળિયા અને કાંતિભાઇ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા,તાલુકા તેમજ શહેરના હોદ્દેદરો અને સામાજિક,રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માં દરેક સરપંચ તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી

વધુ જુઓ

તાજા સમાચાર