માળીયા: માળીયાના લક્ષ્મીવાસ ગામે ગુજરાત સરકાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને મોરબી માળિયા ૬૫ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો.
આજે તા.૧૫-૦૧-૨૦૨૩ ને રવીવારના રોજ સવારે ૯:૦૦ કલાકે માળિયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજી બાવળિયા અને કાંતિભાઇ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા,તાલુકા તેમજ શહેરના હોદ્દેદરો અને સામાજિક,રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં દરેક સરપંચ તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...