મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત આંબેડકર ઉપનગરની રોહીદાસ વસ્તીમાં સેવા દિનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી લલીતભાઈ ભાલોડીયા, રણછોડભાઈ કુંડારિયા તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુથી શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે શિક્ષણ કેન્દ્રમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળ વાર્તાઓ, સર્જનાત્મક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...