મોરબી: મોરબી શહેર અને જિલ્લામા પરપ્રાંતિય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહીં કરનાર આસામીઓ વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહથી કાર્યવાહી ચાલુ છે. ત્યારે હાલ ૫ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માળીયા કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગોલાઈ હુસેની હોટલની સામે હીરવા કોર્પોરેશન કારખાનાના કોન્ટ્રાકટર જસુભાઈ પરબતભાઈ વાઢેર, ટંકારામાં છત્તર જી.આઇ.ડી.સી પાસે કાર્યરત કોન્ટ્રાકટર અશોકભાઇ બેચરભાઇ મેરા, ટંકારામાં લજાઇ ચોકડી હડમતીયા રોડ પર આવેલ મંડપ સર્વીસના સંચાલક અનીલભાઇ નાથુરામ મેઘવાલ, માળીયાના વર્ષામેડી ગામની સીમ, ગુરૂક્રુપા કારખાનાના કોન્ટ્રાકટર ગુલમામદભાઇ આરબભાઇ જત, વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડ પર આવેલ પટેલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાકટર કલ્પેશભાઈ દેવરાજભાઈ પાટડીયા સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાં આરોપીએ પરપ્રાંતીયોના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...
રાજકોટ: આગામી 5થી 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર)ના ભવ્ય દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે. એકતરફ આ કાર્યક્રમ માટે શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ આ દરબાર યોજાય તે પહેલાં જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. રાજકોટના જાણીતા...