મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મૃતકોને વળતર મુદે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરી, કોર્ટમાં ઓરેવા ગ્રુપે સહાયની 50 ટકા રકમ જમા કરાવી
મોરબી: મોરબી સહીત રાજ્યભરમાં ચકચારી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા લેવાયેલ સુઓ મોટો લેવામાં આવ્યો હતો જેના પર આજે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આજે ઓરેવાં ગ્રુપ દ્વારા અગાઉ કોર્ટ દ્વાવારા ઓરેવા ગ્રુપના રૂ 10 લાખ મૃતક પરિવાર ને જયારે ૩ લાખ ઇજાગ્રસ્ત પરિવારને આપવા આદેશ કર્યો હતો. આ આદેશ મુજબ મૃતક પરિવારોને 50 ટકા રકમ એટલે કે 7 કરોડ 31 લાખ જેટલી રકમ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીમાં જમા કરાવી હતી જયારે બાકીની રકમ આગામી 11 એપ્રિલના રોજ જમા કરાવવશે તેવી બાહેધરી ઓરેવા ગ્રુપ દ્વારા આપવામાં આવી છે હાઇકોર્ટ દ્વારા આ કેસની વધુ સુનવણી 18 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. તેમજ હાઇકોર્ટ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઓરેવા ગ્રુપના બ્રીજનું કામ કરવા કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યા હોવાની અફીડેવીડ કરી રજૂઆત કરી હતી આ એફીડેવીડમાં દબાણ કરનારના નામ પણ આપવામાં આવ્યા હતા.