મૂળ માળિયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જુનાગઢ P.T.Cમાં SRP જવાન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયાએ આપઘાત કરી લીધો હોય જે આપઘાતના બનાવમાં પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મૃતકને ઢોર માર મારવામાં આવ્યો હોય અને મરવા માટે મજબુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે.
બ્રિજેશભાઈ લાવડીયાના પરિવારજનોના મતે બ્રિજેશભાઈના મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે તેમના શરી૨ ઉ૫૨ અનેક નિશાન જોવા મળ્યા હતા.તેમ છતા જૂનાગઢ SP આ મામલે તપાસમાં વિલંબ કરે છે.આ ઘટનાને લઈ સમગ્ર આહિર સમાજમાં રોષની લાગણી હાલ જોવા મળી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીને ઝડપી તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દોષીતોને સજા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
જેને પગલે મોરબીમાં આહીર સમાજ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાશે. મોરબી જીલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસ, હરી ચેમ્બર, શિવમ પેટ્રોલીયમની બાજુમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે ખાતે આજે 28-03-2023ના રોજ સાંજે 03:30થી 05:00 વાગ્યા દરમિયાન યોજાનાર આ પરિષદમાં બ્રિજેશભાઈને ન્યાય આપવા માટેની રજૂઆત કરવામાં આવશે.
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....