Wednesday, June 25, 2025

મોરબીના રવાપર ચાર રસ્તાથી મચ્છુ- 2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવતું બંધ કરાવવા કરાઈ માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં મચ્છુ- ૨ ડેમ આવેલ છે. આ ડેમની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. જે કેનાલમાં ગટરનું પાણી આવતું જે બંધ કરાવવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં મચ્છુ- ૨ ડેમ આવેલ છે. આ ડેમની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. 

છેલ્લા એક મહિનાથી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવેલ છે. આ પાણી બંધ થતા હવે કેનાલમાં ગટરનું પાણી ચાલુ થયેલ છે. આ પાણીની દુર્ગંધ આવે છે. તેમજ ગટરનું પાણી દુષિત પાણી હોવાથી મચ્છર તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ થવા પામેલ છે. જેના કારણે આસ પાસ રહેતા લોકોમાં પાણી જન્ય તેમજ મચ્છર જન્ય રોગોનો ફેલાવો થવા પામેલા છે.

આ ગંધાતા ગટરના પાણી બાબતે સ્થાનિક લોકો દ્વારા. સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારી, નગર પાલિકાના ચીફ ઓફીસર તેમજ રવાપર ગામના સરપંચને મોખિક રજુઆતો કરવામાં આવેલ છે. તેમ છતાં આ પ્રશ્નનું નિરાકારણ આવતું નથી.

જયારે સરકર દ્વારા ગુડગવર્નન્સની વાતો થતી હોય છે. ત્યારે લોકો કરી રહ્યા છે કે શું? આજ સરકારનું ગુડ ગર્વન્સ છે ? જયારે સિંચાઈ વિભાગ અને નગર પાલિકા સરકાર હસ્તક હોય તેમજ ગ્રામપંચાયત ઉપર પણ સરકારનો કંટ્રોલ હોય ત્યારે આ કામ બાબતે એક બીજા સાથે સંકલનનો અભાવ કેમ ?

આજના દિવસોમાં જયારે પાણી જન્ય રોગો, મચ્છર જન્ય રોગો, શરદી,ખાસી અને તાવ ના રોગો અને વધારમાં કોરોનાના કેશો મોરબીમાં આવી રહ્યા છે. ત્યારે આ રીતે લોકોના સ્વાથ્ય સાથે થઇ રહેલા ચેડા કેમ ચાલી રહ્યા છે.? મોરબી કલેકટર પણ આમાં કેમ કોઈ ધ્યાન આપતા નથી? તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે.

લોકો તો એવું પણ કહી રહ્યા છે. કે કોઈ રાજકારણી ના શોપિંગ માટે જો રોડ થાય કોઈ રાજકારણીનાં ચાલી રહેલા બાંધકામ માટે રસ્તાને વનવે કરવા માટેનું નોટીફીકેશન થતું હોય,. જો પોલીસ ચોકી ફરી જતી હોય તો આ ગટર નું પાણી કેનાલમાં આવત કેમ બંધ થતું નથી? ઢોરો ને પણ ઘાસ અને સુખડી પણ ખાવારવામાં આવે છે. ત્યારે લોકોને પીડા આપતી આ કેનાલ ના પાણી બાબતે કોઈ નેતા કેમ કાઈ કરતા નથી? શું? લોકો ની ગણતરી ઢોરો થી પણ નીચલી કક્ષામાં થાય છે.? આવા પ્રશ્નો લોકો દવારા પૂછવા માં આવી રહ્યા છે. અને આ પાણી જ્યાં પણ કેનાલમાંથી બહાર નીકળું હશે ત્યાં ના ખેડૂતો ના ખેતરમાં અથવા તો વોકળામાં કેવી ગંદગી ફેલાતી હશે? તે બાબતે પણ કેમ કોઈ વિચારતું નથી.?

તેથી આ બધી વાતો અને મુશ્કેલીમાંથી માર્ગ કરવા માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગણી છે. અને બાબતે વહેલાસર યોગ્ય કરવામાં નહિ આવે તો સ્થાનિક લોકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર