મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામે ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રવાભાઇ અરજણભાઇ બોરીચા ઉવ-૭૦ રહે નાગડાવાસ તા.જી.મોરબી વાળાએ તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ કોઇ પણ સમયે પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળે ફાસો ખાઇ જતા સારવાર અર્થે અત્રેની મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
