મોરબીમાં નિકળનાર આષાઢી બીજની રથયાત્રા સંદર્ભે આજે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું

મોરબી શહેર વિસ્તારમાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા અન્વયે આજરોજ એરીયા ડોમિનન્સ અંતર્ગત જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હોય, જેમાં નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી તથા એ ડીવીજન, બી ડિવીઝન, મોરબી તાલુકા તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયેલ હતા.

આ રથયાત્રા રુટ ઉપર આવતા વેપારીઓને ટ્રાફિક નિયમન માટે જરુરી તકેદારી રાખવા સુચનાઓ આપેલ. તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાયએ માટે જરુરી સુચનાઓ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આપેલ હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img