હળવદ: હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાં રણમલપુર અને ઘણાદની વચ્ચે નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અનિરુધ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉ.વ.૪૫ રે.જેસડા તા. ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળા રણમલપુર અને ઘણાદ વચ્ચે નર્મદા કેનાલમા કોઇપણ કારણોસર ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
