મોરબી: મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા મિતેશભાઈ સવજીભાઈ વિરપરિયા (ઉ.વ.૫૧) એ ગત તા. ૧૩-૦૭-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે હરીપર કેરાળા ગામે રમેશભાઈની વાડીએ કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
