મોરબીના વિરાટનગર ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી તાલુકાના વિરાટનગર ગામે ગળેફાંસો ખાઈ લેતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મીનાબેન નિતીનકુમાર વર્મા ઉવ-૨૧ રહે જીબોન્ડ સિરામિક વિરાટનગર ગામ બેલા રોડ તા.જી.મોરબી વાળી ગત તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ સાંજના ચારેક વાગ્યાના કોઈપણ સમય પહેલા કોઈ કારણૉસર ગળે ફાસો લેતા સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લાવતા ફરજપરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે તેણીને ત્રણ વર્ષનુ એક પુત્ર છે. તેમજ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.