મોરબી નગરપાલિકાનાં દબાણ હટાવવાની કામગીરી નો ફિયસ્કો
મોટા ઉપાડે મોરબી નગરપાલિકાએ પંદર દિવસ પહેલા નવા બસ સ્ટેશન પાસે દબાણ દૂર કરાવ્યું હતું
મોરબી નગરપાલિકાએ નવા બસ સ્ટેશનની બાજુમાં થોડા દિવસ પહેલા બુલડોઝર ફેરવી દબાણ દૂર કરાવ્યું હતું પણ ફરી આ જગ્યા પર લારી ગલ્લા વાળાએ દબાણ ખળકી દીધા છે
હવે તો એવું લાગી રહ્યું છે કે જાણે આ દબાણ કરતા લારી ગલ્લા વાળને કોઈ પણ જાતનો તંત્રનો ડર રહ્યો નથી જેથી અવારનવાર આ જગ્યા પર દબાણ કરવામાં આવે છે અથવા કોઈ વગદાર ના વગથી આ લોકો દબાણ કરતા હોઈ તેવું લાગી રહ્યું છે
નગરપાલિકા આવા દબાણ દૂર કરી વાહ વાહી લૂંટી ફોટા સેશન કરી જતી રહે છે દબાણ હટાવવાની થોડી જ કલાકોમાં ફરી દબાણ થઈ જાય છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોઈ છે
મોરબી નગરપાલિકા આવા દબાણ ને કાયમી દૂર કરે અને લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢે તેવી લોક માંગ ઉઠી રહી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...